Śrīmad Bhāgavatam

વિદુરજીના પ્રશ્નો

બ્રહ્માજીની ઉત્પત્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય વિદુરજીના પ્રશ્નો કશુક ઉવાચ એવં બ્રુવાણં મૈત્રેય દવૈપાયનસુતો બુધઃ । પ્રીણયન્નિવ ભારત્યા વિદુરઃ પ્રત્યભાષત || ૧।। વિદુર ઉશચ બ્રહ્મન્‌ કથં ભગવતશ્ચિન્માત્રસ્યાવિકારિણઃ ! લીલયા ચાપિ યુજ્યેરન્ઞિર્ગુણસ્ય ગુણાઃ ક્રિયાઃ ।। ૨।। ક્રીડાયામુધમોડર્ભસ્ય કામશ્ચિક્રીડિષાન્યતઃ | સ્વતસ્તૃમસ્ય ચ કથં નિવૃત્તસ્ય સદાડન્યતઃ | ૩।। અસાક્ષીદ્ધગવાન્‌ વિશ્વં ગુણમય્યાડડત્મમાયયા । તયા સંસ્થાપયત્યેતદ્રૂયઃ૧ પ્રત્યપિધાસ્યતિ૨ ।। ૪॥ દેશતઃ કાલતો યોડસાવવસ્થાતઃ સ્વતોડન્યતઃ | અવિલુપ્તાવબોધાત્મા સ યુજ્યેતાજયા કથમ્‌ ||૫॥ શ્રીશુકદેવજી કહે છે - મૈત્રેયજીનું બોલવું સાંભળીને વ્યાસસુત બુદ્ધિમાન વિદુરજીએ તેમને પોતાની વાજ્નીથી પ્રસન્ન કરતાં કહ્યું. (૧) વિદુરજીએ પૂછ્યું - બ્ર્મન્‌! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ, નિર્વિકાર અને નિર્ગુણ છે. તેમની સાથે લીલાપૂર્વક પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ, શકે? (ર) બાળકમાં તો કામના અને બીજાઓની સાથે રમવાની ઇચ્છા હોય છે, તેથી તે રમવા માટે ઉઘમ કરે છે; પરંતુ ભગવાન તો સ્વયં નિત્યતૃપ્ત-પૂર્કામ અને હંમેશ અસંગ છે, તેઓ ક્રીડા માટે પણ શા માટે સંકલ્પ કરે? (૩) ભગવાને પોતાની ગુજ્મયી માથાથી સંસારની રચના કરી છે, તેથી તેઓ તેનું પાલન કરે છે; અને તેઓ જ તેનો સંહાર કરે છે. (૪) જેમના જ્ઞાનનો દેશ, કાળ અથવા અવસ્થાથી, આપોઆપ જ અથવા અન્ય કોઈ નિમિત્તથી ૧. પ્રા. પા. - ન્યેપુ ભૂટ1 ૨. પ્રા. પા. - પ્રત્યભિન | આ પાઠાંતરનો શ્રીષરસ્વામીએ પણ ઉલ્લેખ કર્યો છે. [ 15521 અ૦૭] ત્રીજો સ્કન્ધ 199 ભગવાનેક એવૈષ સર્વક્ષેત્રેષ્વવસ્થિતઃ | અમુષ્ય દુર્ભગત્વં વા ક્લેશો વા કર્મભિઃ કુતઃ ॥ ૬॥ એતસ્મિન્મે મનો વિદ્ધન્‌ ખિદ્યતેડજ્ઞાનસક્કટે | તન્નઃ પરાણુદ વિભો કશ્મલ માનસં મહત્‌ । ૭।। શકુ ઉવાચ સઈત્થં ચોદિતઃક્ષત્ત્રા તત્ત્વજિજ્ઞાસુના મુનિઃ । પ્રત્યાહ ભગવચ્ચિત્તઃ સ્મયન્નિવ ગતસ્મયઃ || ૮॥ મૈત્રેજ ઉવાચ સૈયં ભગવતો માયા યન્નયેન વિરુધ્યતે | ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણ્યમુત બન્ધનમ્‌ | ૯॥ યદર્થેન વિનાડમુષ્ય પુંસ આત્મવિપર્યયઃ ! પ્રતીત ઉષદ્રષ્ટુઃ સ્વશિરશ્છેદનાદિકઃ | ૧૦॥ યથા જલે ચન્દ્રમસઃ કમ્પાદિસ્તત્કૃતો ગુણઃ । દેશ્યતેડસન્નપિદ્રષ્ટુરાત્મનોડનાત્મનો ગુણઃ ।। ૧૧॥ સ વૈ નિવૃત્તિધર્મેણ વાસુદેવાનુકમ્પયા | ભગવદ્ધક્તિયોગેન તિરોધત્તે શનેરિહ | ૧૨ યદેન્દ્રિયોપરામોડથ દ્રષ્ટ્રાત્મનિ પરે હરૌ । વિલીયત્તે તદા ક્લેશાઃ સંસુસ્સ્યેવ કૃત્સ્નશઃ |। ૧૩॥ અશેષસડક્લેશશમં વિધત્તે ગુણાનુવાદશ્રવણં મુરારેઃ1 કુંતઃ૨ પુનસ્તચ્ચરણારવિન્દ- પરાગસેવારતિરાત્મલબ્ધા ॥૧૪॥ પણ ક્યારેય લોપ થતો નથી, તેમનો માયાનો સાથે કેવી રીતે સંયોગ થઈ શકે? (૫) એકમાત્ર આ ભગવાન જ સમસ્ત ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપે રહેલા છે, તો પછી એમને દુર્ભાગ્યની અધવા કોઈ પલ પ્રકારના કર્મજન્ય ક્લેશની પ્રાપ્તિ કેમ થઈ શકે? (દા.ત. રામાવતારમાં વનવાસ વગેરેનું તથા સીતાના વિરહનું દુઃખ સહન કર્યું આદિ ક્લેશ કેમ પ્રાપ્ત થયાં?) (૬) હે ભગવન્‌! આ અજ્ઞાન-સં! પડીને મારું મન ઘલું જ ખિન્ન થઈ રહ્યું છે. તમે મારા મનના આ મોહ (અજ્ઞાન)ને કૃપા કરીને દૂર કરો. (3) શ્રીશુકદેવજી કહે છે - તત્ત્વજિજ્ઞાસુ વિદુરજીથી આવી પ્રેરણા પામીને અહેકારરહિત શ્રીમૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સસ્મિત કલું. (૮) શ્રીમૈત્રેયજીએ કહ્યું - આત્મા સર્વદા મુક્તસ્વરૂપ છે, તે બધાંનો ઈશ્વર છે. તેનું દીનતાને પ્રાપ્ત થવું, બંધનને સ્વીકારવું (જેમકે સીતાના વિરહમાં શ્રીરામનું દુઃખી થવું, રણ છોડીને નાસી જવું) વગેરે ભગવાનની માયા જ છે. (આવી લીલા કરવી એ પણ ભક્તોને આનંદિત કરવા માટે જ હોય છે.) જોકે ભગવાનની આ ભગવત્તા વિરોધ ઉત્પન્ન કરે છે પરંતુ જ્યારે એમાં ભગવાનની લીલાનું રહસ્ય સમજાઈ જાય તો આનંદ યાય છે. કારણ કે ભગવાન આનંદસ્વરૂપ છે. (૯) જે રીતે સ્વપ્ન જોનારા મનુષ્યને પોતાનો શિરચ્છેદ વગેરે પ્રવૃત્તિઓ થતી નહીં હોવા છતાં પણ સત્ય જેવી ભાસે છે, તે જ રીતે આ જીવને બંધન વગેરે નહીં હોવા છતાં પણ અજ્ઞાનને લીધે એવો ભાસ થાય છે. (૧૦) જે રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા, પાણીમાં દેખાતા ચંદ્ર-પ્રતિબિંબમાં નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે દેઠાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે, દ્રષ્ટા આત્મામાં થતી નથી. (૧૧) નિષ્કામભાવે પોતાના સ્વધર્મનું પાલન કરવાથી ભગવત્કૃપાથી, ભગવાનની ભક્તિનો યોગ થવાથી આ માયા ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે. (૧ર) જે સમયે ઇન્દ્રિયો વિષયોથી બિલકુલ ઉપરામ પામે છે અર્થાત્‌ [વિષયો તરફ જતી નથી ત્યારે દ્રષ્ટાસ્વરૂપ જે આત્મા છે, તે જ પરમાત્મા અને તે જ હરિ છે, તેમાં વૃત્તિઓ એકાગ્ર થઈ જાય છે. ત્યારે અવિદ્યા વગેરે પંચક્લેશ વિલીન થઈ જાય છે. જે પ્રમાણે ગાઢ નિદ્રામાં ઇન્દ્રિયો રહેતી નથી. (૧૩) શ્રીકૃષ્ણના ચુણોનું વર્બન અને શ્રવણ અશેષ સંપૂર્ણ) દુખરાશિને (ક્લેશોને) શાંત કરી દે છે; તો પછી જો આપણા #ૃદયમાં તેમનાં ચરણકમળોની રજના સેવનનો પ્રેમ જાગી જાય તો તો કહેવું જ શું? (૧૪) ૨. કર. પા. - યર્દમાત્મનાકમુટ ૨. પ્રા. પા. - ડિ થા 200 શ્રીમદભાગવત [અ૦૭ દુર ઉવાચ સઝિછન્નઃ સંશયો મહ્યં તવ સૂક્તાસિના વિભો ! ઉભયત્રાપિ ભગવન્મનો મે સમ્પ્રધાવતિ | ૧૫॥ સાધ્વેતદ વ્યાહતં વિદ્રન્ઞાત્મમાયાયનં હરેઃ । આભાત્યપાર્થ નિર્મલ વિશ્વમૂલં ન યદ્બહિઃ૧ ।। ૧૬॥ યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરં ગતઃ । તાવુભૌ સુખમેધેતે ક્લિશ્યત્યન્તરિતો જનઃ ॥ ૧૭॥ અર્થાભાવં વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ ૨ નાત્મનઃ | તાં ચાપિ યુષ્મચ્ચરણસેવયાડહં પરાણુદે | ૧૮॥ યત્સેવયા ભગવતઃ કૂટસ્થસ્ય મધુદ્ધિષઃ | રતિરાસો ભવેત્તીવ્ર પાદ્યોર્વ્યસનાર્દનઃ | ૧૯॥ દુરાપા હ્યલ્યતપસઃ સેવા વૈકુણ્ઠવર્ત્મસુ | યત્રોપગીયતે નિત્યં દેવદેવો જનાર્દનઃ | ૨૦॥ સૃષ્ટ્વાગ્રે મહદાદીનિ સવિકારાણ્યનુક્રમાત્‌ ! તેભ્યો વિરાજમુદ્ધૃત્ય તમનુ પ્રાવિશદ્િભુઃ ॥। ૨૧॥। યમાહુરાદ્યં પુરુષં સહસ્્રાડદ્રયૂરુબાહુકમ્‌ । યત્ર વિશ્વ ઇમે લોકાઃ સવિકાશં સમાસતે || ર૨ યસ્મિન્દશવિધઃપ્રાણઃ સેન્દ્રિયારથેન્દ્રિયસ્તિવૃત્‌ | ત્વયેરિતો યતો વર્ણાસ્તદ્રિભૂતીર્વદસ્વ નઃ ॥ ર૩॥ વિદુરજીએ કહ્યું - ટે ભગવન્‌! આપના દ્વારા ભગવાનનાં લીલાચરિત્રો, તેમના ગુશ્ો વગેરેનું વર્ણન આદિ શ્રવણભક્તિથી મારા મનનું અશાન દૂર થઈ જાય છે. આપની વાણી દ્વારા વહેતા અસ્ખલિત જ્ઞાનરૂપી ખડૂગથી મારાં સર્વ સંશયો પણ છેદાઈ જાય છે. પરંતુ ભગવાન સ્વતંત્ર છે અને તેમનો જ અંશ હોવા છતાં જીવ પરતંત્ર છે, તો આ પરસ્પર વિરોધી વાત સાંભળીને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. કૃપા કહી આપ મારા આ સંશયનું નિરાકરણ કરો. (૧૫) હે વિદ્રન્‌! આપે એ વાત ઘણી યોગ્ય જ કહી કે જીવને ક્લેશ વગેરેની જે પ્રતીતિ થઈ રહી છે તેનું કારણ ભગવાનની કેવળ માયા જ છે. તે ક્લેશ મિથ્યા અને નિર્મળ છે; કારણ કે આ વિશ્વનું મૂળ કારણ માયા જ છે, તે સિવાય અન્ય કશું કારણ નથી. (૧૬) આ સંસારમાં બે જ પ્રકારના લોકો સુખી છે - કરાં તો જેઓ અત્પંત મૂઢ (અજ્ઞાનગ્રસ્ત) છે અથવા તો જેઓ બુદ્ધિ વગેરેથી પર (અતીત) એ શ્રીભગવાનને પામી ચૂક્યા છે. વચ્ચેની હરોળના સંશયગ્રસ્ત લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે. (૧૭) હે ભગવન્‌! આપની કૃપાથી મને એ નિશ્ચય થઈ ગયો કે આ અનાત્મ પદાર્થો વાસ્તવમાં છે જ નહીં, કેવળ પ્રતીત જ થાય છે. હવે હું આપના ચરણ્રોની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ. (૧૮) આપના શ્રીચરણોની સેવાથી નિત્યસિદ્ધ ભગવાન શ્રીમધુસૂદનનાં ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધે થાય છે, ભગવાન પ્રત્યે પ્રેમ થવો એ જ સર્વ સંકટોનો નાશ કરનારું છે. (૧૯) મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત્‌ માર્ગ જ હોય છે, તેમને ત્યાં હંમેશ દેવોના દેવ શ્રીહરિના ગુશ્ોનું ગાન થતું રહે છે. અલ્યપુક્યના મનુષ્યને તેમની સેવાનો અવસર મળવો એ અત્યંત મુશ્કેલ છે. (૨૦) હે ભગવન! તમે ક્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમશઃ મહત્ત્વ વગેરે તત્વો અને તેમના વિકારો રચીને, પછી તેમના એંશોથી વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો અને ત્યારપછી તેઓ સ્વયં તેમાં પ્રવેશ્યા. (૨૧) તે વિરાટને હજારો પગ, જાંઘો અને બાહુઓ છે; વેદ તેમને આદિપુરુષ કહે છે; તેમનામાં જ આ બધા લોક વિસ્તૃતરૂપે મોકળાશથી રહેલા છે. (૨૨) તેમનામાં ઇન્દ્રિયો, વિષયો અને ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ સહિત દશ પ્રકારના પ્રાણોનું તમે વર્ણન કર્યું છે, કે જે ઇન્દ્રિળળ, મનોબળ અને શરીરબળ રૂપે એમ ત્રણ પ્રકારે છે; અને તેમનાથી જ બ્રાહ્મણ વગેરે વર્ણા પણ ઉત્પન્ન થયેલા છે. હવે તમે ૧. પ્રા. પા. - તત! ૨. પ્રા. પા. - ત્તશાન! અ૦૭] ત્રીજો સ્કન્ધ 201 યત્ર પુત્રેશ્ચ પૌત્રેશ્ષ નખૃભિઃ સહ ગોત્રજૈઃ । પ્રજાવિચિત્રાકૃતયત આસન્‌ યાભિરિદં તતમ્‌ | ર૪॥ પ્રજાપતીનાં સ પતિશ્ચક્લૃપે કાન્‌ પ્રજાપતીન્‌ | સર્ગાશ્ચેવાનુસર્ગાશ્ મનૂન્મન્વન્તરાધિપાન્‌ । ર૫॥। એતેષામપિ વંશાંશ્ચ વંશાનુચરિતાનિ ચ | ઉપર્યધશ્ચ ઘે લોકા ભૂમેર્મિત્રાત્મજાડડસતે ।। ર૬॥ તેષાં સંસ્થાં પ્રમાણ ચ ભૂર્લોકસ્ય ચ વર્ણય । તિર્યફમાનુષદેવાનાં સરીસૃપપતત્ત્રિણામ્‌ । વદ નઃ સર્ગસંવ્યૂહં ગાર્ભસ્વેદદ્વિજોદ્ધિદામ્‌ | ૨૭॥ ગુણાવતારેર્વિશ્વસ્ય સર્ગસ્થિત્યપ્યયાશ્રયમ્‌ । સૃજતઃ શ્રીનિવાસસ્ય વ્યાચક્ષ્વોદારવિક્રમમ્‌ । ર૮॥ વર્ણાશ્રમવિભાગાંશ્ચ રૂપશીલસ્વભાવતઃ | ત્રષીણાં જન્મકર્માદિ* વેદસ્ય ચ વિકર્ષણમ્‌ ॥ ર૯॥ યજ્ષસ્ય ચ વિતાનાનિ યોગસ્ય ચ પથઃ પ્રભો ! નૈષ્કર્મ્પસ્યચ સાડ્ખ્યસ્ય તન્ત્રંવા ભગવત્સ્મૃતમ્‌ । ૩૦॥ પાખણ્ડપથવૈષમ્યં પ્રતિલોમનિવેશનમ્‌ ! જીવસ્ય ગતયો યાશ્ચ યાવતીર્ગુણકર્મજાઃ । ૩૧॥ ધર્માર્થકામમોક્ષાણાં નિમિત્તાન્યવિરોધતઃ । વાર્તાયા દણ્ડનીતેશ્વ શ્રુતસ્ય ચ વિધિ પૃથક્‌ । ૩૨॥ શ્રાદ્ધસ્યચ વિધિ બ્રહ્મન્‌પિતૃણાં સર્ગમેવ ચ | ગ્રહનક્ષત્રતારાણાં કાલાવયવસંસ્થિતિમ્‌ | ૩૩! દાનસ્ય તપસો વાપિ યચ્ચેષ્ટાપૂર્તયોઃ ફલમ્‌ | પ્રવાસસ્થસ્ય યો ધર્મો યશ્ચ પુંસ ઉતાપદિ ।। ૩૪॥। યેન વા ભગવાંસ્તુષ્યેદ્રર્મયોનિર્જનાર્દનઃ । સમ્પ્રસીદતિ વા યેષામેતદાખ્યાહિ ચાનથ |! ૩૫॥। અનુવ્રતાનાં શિષ્યાણાં પુત્રાણાં ચ દ્રિજોત્તમ | અનાપૃષ્ટમપિ બ્રૂયુર્ગુરવો દીનવત્સલાઃ । ૩૬॥ તત્ત્વાનાં ભગવંસ્તેષાં કતિધા પ્રતિસડક્રમઃ ! તત્રેમ ક ઉપાસીરન્‌ ક ઉ સ્વિદનુશેરતે | ૩૭।। તેમની બ્રહ્માજી વગેરે વિભૂતિઓનું વર્ણન મને સંભળાવો, કે જેમનાથી પુત્ર, પૌત્ર, કુટુંબીજનો અને જ્ઞાતિજનો સહિત અનેકવિધ પ્રજાઓ ઉત્પન્ન થઈ અને તેનાથી આ સઘળું બ્રહ્માંડ ભરાઈ ગયું. (૨૩-૨૪) તે વિરાટ તો બ્રહ્મા વગેરે પ્રજાપતિઓના પણ પ્રભુ છે. તે વિરાટે કયા કયા પ્રજાપતિઓ ઉત્પન્ન કર્યા તથા સર્ગ, અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ રચના કયા કમે કરી? (રપ) હે મૈત્રેયજી! તે મનુઓના વંશનું અને વંશધર રાજાઓનાં ચરિત્રોનું, પૃથ્વીની ઉપરના અને નીચેના લોકોનું તથા ભૂર્લોકના વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ષાન કરો તથા એ પલ્ર બતાવો કે તિર્થક, મનુષ્ય, દેવતા, સરીસૃપ (સર્પ વગેરે સરકીને ચાલતા પશુ) અને પક્ષી તથા જરાયુજ, સ્વેદજ, અંડજ અને ઉદ્દભિજ્જ એ ચાર પ્રકારનાં પ્રાણીઓ કઈ રીતે ઉત્પન્ન થયાં? (૨૬-૨૭) શ્રીહરિએ સર્જન કરતી વખતે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે પોતાના ગુણ્ાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને ,વના રૂપમાં જે કલ્યાણકારી લીલાઓ કરી - તેમનું પણ વર્ણન કરો. (૨૮) વેશ, આચરબ્ર અને સ્વભાવ અનુસાર વર્લાશ્રમનું વિભાજન, ઝપિઓનાં જન્મ-કર્મ વગેરે, વેદોનું વિભાજન, યજ્ઞોનો વિસ્તાર, યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ અને તેના સાધનભૂત સાંખ્યમાર્ગ તથા ભગવાને કહેલાં નારદ-પાંચરાત્ર વગેરે. તંત્રશાસ્રો, વિભિન્ન પાખંડ-માર્ગોના પ્રચારથી થનારી વિષમતા, નીચ વર્લના પુરુપથી ઉચ્ચ વર્લની સ્ત્રીમાં જન્મનારાં સંતાનોના પ્રકાર તથા ભિન્ન-[ભન્ન ગુણો અને કર્માને કારણે જીવની જેવી અને જેટલી ગતિઓ થાય છે

  • આ બધા વિશે અમને કહી સંભળાવો. (૨૯-૩૧) હે બ્રહ્મન! ધર્મ, અર્થ, કામ અને મોકની પ્રાપ્તિના પરસ્પર અ-વિરોધી સાધનોનું, વાણિજ્ય, દંડનીતિ અને શાસ્રશ્રવણની વિધિઓનું, શ્રાદ્ધની વિધિનું, પિતૃગણોની સૃષ્ટિનું તથા કાળચકમાં ગ્રહો, નક્ષત્રો અને તારાગણની સ્થિતિનું પણ અલગ-અલગ વર્ણન કરો. (૩૨-૩૩) દાન, તપ તથા ઇષ્ટ અને પૂર્ત” કર્માનું શું ફળ છે? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યનો શો ધર્મ બને છે? (3૪) હે નિષ્યાપ મૈત્રેયજી! ધર્મના મૂળ કારલ શ્રીજનાર્દન ભગવાન કથા આચરલથી સંતુષ્ટ થાય છે અને કોના પર કૃપા કરે છે - એ પણ વર્ણવો. (૩૫) હે દિજોત્તમ! દીનવત્સલ ગુરુઓ પોતાના અનુયાયી શિષ્યો અને પુત્રોને વગર પૂછવે જ તેમના હિતની વાત બતાવતા છે. (૩૬) હે ભગવન્‌! તે મહત્તત્ત્ વગેરેનો પ્રલય કેટલા પ્રકારનો છે? ૧. પ્રા. પા. - તસ્પતયુદ્વાન 1 ૨. પ્રા. પા. વ્કર્માણિ દેવસ્ય ।
  • પૂર્તકર્મ - કૂવો, તળાવ, ધર્મશાળા વગેરે સાર્વજનિક સ્થાનોનું નિાબ્રા્ય 202 શ્રીમદભાગવત [અ૦૮ પુરુષસ્ય ચ સંસ્થાનં સ્વરૂપં વા પરસ્ય ચ | જ્ઞાનં ચ નૈગમં યત્તદગુરુશિષ્યપ્રયોજનમ્‌ | ૩૮॥ નિમિત્તાનિચ તસ્યેહ પ્રોક્તાન્યનઘ સૂરિભિઃ । સ્વતો જ્ઞાનં કુતઃ પુંસાં ભક્તિર્વેરાગ્યમેવ વા ॥ ૩૯॥ એતાન્મેપૃચ્છતઃપ્રશ્રાન્‌ હરેઃ કર્મવિવિત્સયા । બ્રૂહિ મેડશસ્ય મિત્રત્વાદજયા નષ્ટચક્ષુષઃ ॥ ૪૦॥ સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપો દાનાનિ ચાનઘ |! જીવાભયપ્રદાનસ્ય ન કુર્વીરન્‌ કલામપિ 1 ૪૧॥ કશુક ઉવાચ સ ઇત્થમાપૃષ્ટપુરાણકલ્પઃ કુરુપ્રધાનેન મુનિપ્રધાનઃ । પ્રવૃદ્ધહર્ષો ભગવત્કથાયાં સગ્ચોદિતસ્તં પ્રહસન્તિવાહ || ૪૨|! તથા ભગવાન જ્યારે યોગનિદ્રામાં શયન કરે છે ત્યારે તેમનામાંથી કયાં કયાં તત્ત્વો તેમની સેવા કરે છે અને તેમનામાં કોણ કોણ લીન થઈ જાય છે? (૩૭) જીવનું. તત્ત્વ, પરમેશ્વરનું સ્વરૂપ, ઉપનિષદ્‌-પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ-શિષ્પનું પરસ્પરનું પ્રયોજન - એ શું છે? (૩૮) પવિત્રાત્મા! વિદ્વાનોએ તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાયો બતાવ્યા છે? કારણ કે મનુષ્યોને જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્યની પ્રાપ્તિ આપોઆપ તો થઈ નથી શકતી, (૩૯) હે બ્રહ્મન્‌! મોહ-માથાને કારણે મારી વિચાર-દષ્ટિ નાશ પામી છે; હું અશ છું, આપ મારા પરમ સુકદ્‌ છો; તેથી શ્રીહરિ-લીલાનું જ્ઞાન પામવાની ઇચ્છાથી મેં જે પ્રશ્નો કર્યા છે તેના ઉત્તર મને આપો. (૪૦) હે પુશ્યમય મૈત્રેયજી! ભગવાનના તત્ત્વના ઉપદેશ વડે જીવને જન્મ-મૃત્યુમાંથી છોડાવીને તેને અભય કરી દેવાથી જે પુણ્ય થાય છે તેની તુલનામાં સમસ્ત વેદોના અધ્યયન, યશ, તપ અને દાન વગેરેથી થનારું પુશ્ય સોળમા ભાગની બરાબર પણ થઈ શક્તુંકનથી. (૪૧) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! કરૂશ્રેષ્ઠ વિદુરજીએ જ્યારે મુનિવર મૈત્રેયજીને આ પ્રમાણે પુરાણવિષયક પ્રશ્નો કર્યા ત્યારે ભગવદ્રિષયક ચર્ચા માટે પ્રેરિત કરી દેવાને કારણે તેઓ ઘણા પ્રસન્ન થયા અને સ્મિતમુદ્રામાં તેમને કહેવા લાગ્યા. (૪૨) ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે સપ્તમોડધ્યાયઃ || ૭॥ / ત્રીજા સ્કંધ-અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત.