Śrīmad Bhāgavatam

મનુ વગેરેનાં ભિન્ન-ભિન્ન કર્મોનું નિરૂપણ ચશ્નેવાય મત્વન્તરેષુ ભગવન્‌ યથા મન્વાદયસ્ત્વિમે યસ્મિન્‌ કર્મણિ યે યેન નિયુક્તાસ્તદ્રદસ્વ મેચ ॥ ૧॥ શ્રપિસ્વાય

7 રાજા બલિનો સ્વર્ગ પર વિજય ચજોવાચ બલેઃ પદત્રયં ભૂમેઃ કસ્માદ્ધરિર્યાચત | ભૂત્વેશ્વરઃ કૃપણવલ્લબ્ધાર્થોડપિ બબન્ધ તમ્‌ ॥1। એતદરેદિતુમિચ્છામો મહત્કૌતૂહલં
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચૌદમો અધ્યાય મનુ વગેરેનાં ભિન્ન-ભિન્ન કર્મોનું નિરૂપણ ચશ્નેવાય મત્વન્તરેષુ ભગવન્‌ યથા મન્વાદયસ્ત્વિમે યસ્મિન્‌ કર્મણિ યે યેન નિયુક્તાસ્તદ્રદસ્વ મેચ ॥ ૧॥ શ્રપિસ્વાય મનવો મનુપુત્રાશ્ મુનયશ્ચ મહીપતે | ઇન્દ્રાઃ સુરગણાશ્ષૈવ સર્વે પુરુષશાસનાઃ | ૨॥ યજ્ઞાદયો યાઃ કથિતાઃ પૌરુષ્યસ્તનવો નૃપ” । મન્વાદયો જગઘ્યાત્રાં નયન્ત્યાભિઃ પ્રચોદિતાઃ || ૩॥ રાજા પરીક્ષિતે પૂછયું - ટે ભગવન્‌! તમે વર્ણવેલા આ મનુઓ, મનુપુત્રો, સપ્તર્ષિઓ વગેરે પોતપોતાના મન્વંતરમાં કોના વડે નિયુક્ત થઈને કયાં કયાં કાર્યો કેવી રીતે કરે છે તે તમે કૃપા કરીને મને કહી બતાવો. (૧) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! મનુઓ, મનુપુત્રો, સપ્તર્ષિઓ અને દેવો - બધાને નિયુક્ત કરનારા સ્વયં ભગવાન જ છે. (૨) હે રાજન્‌! ભગવાનનાં યશ્પુરુષ વગેરે જે અવતાર-શરીરોનું વર્ણન મેં કર્યુ છે તેમની પ્રેરણાથી મનુઓ વગેરે વિશ્વની વ્યવસ્થાનું સંચાલન કરે છે. (૩) ૧. પ્રા. પા. - ત્વર્શાલા ! ૨. પ્રાચીન પ્રતમાં ‘નામ’ શબ્દ નથી. ૩. પ્રા. પા. - નઃ | ૪. પ્રા. પા. - ઇન્દ્ર પ. પ્રા. પા. - નૃપાઃ। અ૦૧૪] ચતુર્યુંગાન્તે કાલેન ગ્રસ્તાગ્છુતિગણાન્‌ યથા | તપસા ત્રદષયોડપશ્યન્‌ યતો ધર્મઃ સનાતનઃ । ૪।। તતો ધર્મ ચતુષ્પાદં મનવો હરિણોદિતાઃ । યુક્તાઃ સગ્ચારયત્ત્યદ્ધા સ્વે સ્વે કાલે મહીં નૃપ ॥ ૫॥। પાલયત્તિ પ્રજાપાલા યાવદન્તં વિભાગશઃ । યજ્ષભાગભુજો દેવા યે ચ ચંતત્રાન્વિતાશ્ચ તૈઃ ॥ ૬॥ ઇન્દ્રો ભગવતા દત્તાં ત્રૈલોક્યશ્રિયમૂર્જિતામ્‌ । ભુગ્જાનઃ પાતિ લોકાંસ્રીન્‌ કામં લોકે પ્રવર્ષતિ ॥ ૭॥ જ્ઞાનં ચાનુયુગં બ્રૂતે હરિઃ સિદ્ધસ્વરૂપધૃક્* । શ્રષિરૂપધરઃ કર્મ યોગં યોગેશરૂપધૃક્‌ || ૮|| સર્ગ*પ્રજેશરૂપેણ દસ્યૂન્‌હન્યાત્પ સ્વરાડ્વપુઃ । કાલરૂપેણ સર્વેષામભાવાય પૃથગ્ગુણઃ ॥૯॥ સ્તૂયમાનો જનૈરેભિર્માયયા નામરૂપયા | વિમોહિતાત્મભિર્નાનાદર્શનેર્ન ચ દેશ્યતે ૧૦ એતત્કલ્પવિકલ્પસ્ય પ્રમાણં પરિકીર્તિતમ્‌ | યત્ર મન્વન્તરાણ્યાહુશ્ચતુર્દશ પુરાવિદઃ ।। ૧૧।। આઠમો સ્કંધ 819 ચતુર્યુગીનાં અંતે સમય-પરિવર્તનને લીધે જ્યારે શ્રુતિઓ નષ્ટપ્રાય થઈ જાય છે ત્યારે સપ્તર્પિઓ પોતાના તપથી ફરી તેમનો સાક્ષાત્કાર કરે છે. તે શ્રુતિઓથી જ સનાતન ધર્મનું રક્ષણ થાય છે. (૪) હે રાજન્‌! ભગવાનની પ્રેરણાથી બધા જ મનુઓ પોતપોતાના મત્વંતરમાં પૃથ્વી પર ચારે ચરણથી પરિપૂર્ણ ધર્મનું અનુષ્ઠાન કરાવે છે. ! (૫) મનુના પુત્રો સમસ્ત મન્વંતર દરમિયાન કાળ અને દેશ - બંનેનું વિભાજન કરીને પ્રજાપાલનનું તથા ધર્મપાલનનું કાર્ય કરે છે. જે ત્દષિઓ, પિતૃઓ, ભૂતો, મનુષ્યો વગેરેનો પંચ-મહાયજ્ઞ વગેરે કર્મો સાથે સંબંધ છે તેમના સહિત દેવો તે મન્વંતરમાં યજ્ઞભાગનો સ્વીકાર કરે છે; (૬) અને ઇન્દ્ર ભગવાને આપેલી ત્રણે લોકની અતુલ સંપત્તિનો ઉપભોગ કરવા સાથે પ્રજાનું પાલનપોષણ કરે છે. સંસારમાં યથેષ્ટ વરસાદ વરસાવવાનો અધિકાર પણ તેમને જ છે. (૭) ભગવાન યુગે-યુગે સનકાદિ સિદ્ધોનું રૂપ ધારણ કરીને જ્ઞાનનો, યાશવલ્કય વગેરે શ્ાપિઓનું રૂપ ધારણ કરીને કર્મનો અને દત્તાત્રેય વગેરે યોગેશ્રોનું. રૂપ ધારણ કરીને યોગનો ઉપદેશ કરે છે. (૮) તેઓ મરીચિ વગેરે પ્રજાપતિઓના રૂપમાં સૃષ્ટિનો વિસ્તાર કરે છે, સમ્રાટના રૂપમાં લુટારાઓનો વધ કરે છે અને ઠંડી, ગરમી વગેરે વિભિન્ન ગુણો ધારણ કરીને કાળના રૂપમાં બધાંને સંહાર તરફ લઈ જાય છે. (૯) નામ અને રૂપની માયાથી પ્રાણીઓની બુદ્ધિ વિમૂઢ થઈ રહી છે, તેથી તેઓ અનેક પ્રકારનાં દર્શનશાસ્્રો દ્રારા મહિમા તો ભગવાનનો જ ગાય છે, પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપને જાણવા પામતા નથી. (૧૦) (હે પરીક્ષિત!) આ પ્રમાણે મેં તમને મહાકલ્પો અને અવાન્તર કલ્પોનું પરિમાણ કહી સંભળાવ્યું. પુરાણતત્ત્વના વિદ્વાનોએ પ્રત્યેક અવાન્તર કલ્પમાં ચૌદ મન્વંતર બતાવ્યા છે. (૧૧) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં આઠમા સ્કંધ-અંતર્ગત. સંહિતાયામષ્ટમસ્કન્ધેર્દ ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪॥ ચૌદમો અધ્યાય સમાપ્ત.